January 20, 2025
Maha Gujarat
Patanજિલ્લો

પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ

તંત્ર આ મહત્ત્વના રોડ ઉપર ધ્યાન આપશે….?

પાટણના પ્રખ્યાત ગાયનેક ડૉ. અતુલ અગ્રવાલની કલેકટર સમક્ષ રજૂઆત

(હર્ષદ ખમાર દ્વારા)

રાજમહેલ રોડ પર ચાલતી ઓવરબ્રિજ બનાવવાની કામગીરીને લઈને ઓવરબ્રિજ ની બન્ને બાજુ ના સર્વિસ રોડ બરાબર બનાવેલ ન હોય ગંભીર અકસ્માત થવાની શક્યતા રહેલ હોવાની બાબતે પાટણના ડો. અતુલ અગ્રવાલ દ્રારા કલેકટર ને લેખિતમાં રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ડો અગ્રવાલ દ્રારા કલેકટર ને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે રાજમહેલ રોડ પર ચાલતી ઓવરબ્રિજ ની કામગીરી ને લીધે બનાવવામાં આવેલ સર્વિસ રોડ બરાબર બનાવેલ નથી. માત્ર રોડા કાંકરેટ નાખેલ છે. ડામર કામ પણ કરેલ નથી ખાડા ટેકરા વાળો રોડ છે. તો ખાડા પૂરી લેવલીંગ કરવા તથા ડામર કામ કરી રોડ વ્યવસ્થિત બનાવવો, સર્વિસ રોડ પર સંતોકબા હોલ ની બાજુ માં આવેલ શાળા નજીક ઉંચાઈ વાળો તથા નિયમ વિરુધ્ધ નો બમ્પ બનાવેલ છે. જેથી અકસ્માત થવાની શક્યતા છે. તો આ બમ્પ દુર કરી નિયમો અનુસાર બમ્પ બનવવા તથા તેના પર સફેદ–પીળા પટ્ટા લગાવી યોગ્ય કરવું, સર્વિસ રોડ ખુબ જ સાકડો છે તથા તેના પર ઘણી જગ્યાએ ખાણી પીણી ની તથા નાસ્તાની લારીઓ ગેરકાયદેસર ઉભી રહે છે તથા અન્ય નાના મોટા વાહનો પણ પાર્કિંગ કરેલ હોય છે. આમ અહીં ટ્રાફિક જામ થઇ જાય છે. તો આ લારીઓ તથા આડેધડ થતા પાર્કિંગ સત્વરે દુર કરાવી ટ્રાફિક ની અવર જવર સરળતાથી થાય તે માટે યોગ્ય પગલા ભરવા તેઓએ રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી કરાઇ

museb

અસ્તિત્વનો જંગ ખેલી રહેલા પાટણનાં ઐતિહાસિક કિલ્લાની દિવાલો કલેકટરશ્રીનાં સૂચનોનો સહેજ પણ અમલ થયો નથી

museb

પાટણના જિલ્લા કલેકટરશ્રી એ પાટણનાં વિશ્ર્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાત લીધી : કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અભિભૂત થયા

museb

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

mahagujarat

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

Leave a Comment