Maha Gujarat
Otherજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

પાટણ ભીલડી વચ્ચે ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા  મોટા મોટા સ્ટેશનો બન્યા છે, પરંતુ ચાર વર્ષથી આ રેલ્વે સ્ટેશનો ઉપર એક પણ ટ્રેન આવી ઉભી રહેતી નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ આ વિસ્તારની પ્રજાને રેલ સુવિધા નો લાભ મળ્યો નથી

મહેસાણા-અમદાવાદ વચ્ચે ડબદલીંગ લાઇનના કામે બંધ કરાયેલ

મહેસાણા રેલ્વે સ્ટેશન અને મહેસાણા-જગુદણ વચ્ચે બીજી લાઇનના ચાલતા કામોને કારણે પાટણ સ્ટેશનથી ઉપડતી આવતી બંધ કરાયેલ ટ્રેનોને ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ પાટણ-સાબરમતી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન પણ બે સમય આવજા કરતી શરૂ કરાયા બાદ વધુ ૬ લોકલ ટ્રેનો શરૂ કરાતાં મુસાફરોને રાહત થઇ છે. ખાસ કરીને અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી પડતી હતી. આમ પાટણ-મહેસાણા-સાબરમતી અને પાટણથી વીરમગામની લોકલ ટ્રેનો ફરી શરૂ કરાતા આમપ્રજાને સસ્તી મુસાફરીનો લાભ મળશે.

પાટણ-ભિલડી-મહેસાણા વચ્ચે સત્વરે લોકલ ટ્રેન વ્યવહાર શરૂ કરવો જોઇએ

બીજીતરફ પાટણથી ભિલડી વચ્ચેની બ્રોડગેજ લાઇન નંખાયાને ૪ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે. છતાં આ બંને સ્ટેશનો વચ્ચે હજી એક પણ લોકલ ટ્રેન શરૂ નહીં કરાતા વચ્ચે આવતા ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા સ્ટેશનો અને વિસ્તારની પ્રજાને રેલ સુવિધાઓને લાભ હજી મળ્યો નથી.

Related posts

પાટણમાં કોંગ્રેસના રાહુલ ગાંધીની જંગી જાહેરસભા

museb

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

રામનવમી ના પવિત્ર પર્વ પાટણ ના અંબાજી નેળિયા માં રેડ ક્રોસ પાટણ સંચાલિત મોહનભાઈ એસ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

mahagujarat

રિમઝિમ વરસતા વરસાદની હેલીમાં પણ વર્ષાગીતોના ભરચક કાર્યક્રમ ‘રિમઝિમ મલ્હાર-૨૦૨૫’ એ જમાવટ કરી

mahagujarat

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

mahagujarat

Leave a Comment