Maha Gujarat
Otherજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

પાટણ ભીલડી વચ્ચે ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા  મોટા મોટા સ્ટેશનો બન્યા છે, પરંતુ ચાર વર્ષથી આ રેલ્વે સ્ટેશનો ઉપર એક પણ ટ્રેન આવી ઉભી રહેતી નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ આ વિસ્તારની પ્રજાને રેલ સુવિધા નો લાભ મળ્યો નથી

મહેસાણા-અમદાવાદ વચ્ચે ડબદલીંગ લાઇનના કામે બંધ કરાયેલ

મહેસાણા રેલ્વે સ્ટેશન અને મહેસાણા-જગુદણ વચ્ચે બીજી લાઇનના ચાલતા કામોને કારણે પાટણ સ્ટેશનથી ઉપડતી આવતી બંધ કરાયેલ ટ્રેનોને ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ પાટણ-સાબરમતી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન પણ બે સમય આવજા કરતી શરૂ કરાયા બાદ વધુ ૬ લોકલ ટ્રેનો શરૂ કરાતાં મુસાફરોને રાહત થઇ છે. ખાસ કરીને અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી પડતી હતી. આમ પાટણ-મહેસાણા-સાબરમતી અને પાટણથી વીરમગામની લોકલ ટ્રેનો ફરી શરૂ કરાતા આમપ્રજાને સસ્તી મુસાફરીનો લાભ મળશે.

પાટણ-ભિલડી-મહેસાણા વચ્ચે સત્વરે લોકલ ટ્રેન વ્યવહાર શરૂ કરવો જોઇએ

બીજીતરફ પાટણથી ભિલડી વચ્ચેની બ્રોડગેજ લાઇન નંખાયાને ૪ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે. છતાં આ બંને સ્ટેશનો વચ્ચે હજી એક પણ લોકલ ટ્રેન શરૂ નહીં કરાતા વચ્ચે આવતા ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા સ્ટેશનો અને વિસ્તારની પ્રજાને રેલ સુવિધાઓને લાભ હજી મળ્યો નથી.

Related posts

8 મેં રેડ ક્રોસ દિન. પાટણ જિલ્લા રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

mahagujarat

લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

mahagujarat

પાટણ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી છોડવા કે. સી. પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

museb

શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.

mahagujarat

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?

mahagujarat

Leave a Comment