Maha Gujarat
Otherજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

પાટણ ભીલડી વચ્ચે ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા  મોટા મોટા સ્ટેશનો બન્યા છે, પરંતુ ચાર વર્ષથી આ રેલ્વે સ્ટેશનો ઉપર એક પણ ટ્રેન આવી ઉભી રહેતી નથી. આઝાદીના 75 વર્ષ પછી પણ આ વિસ્તારની પ્રજાને રેલ સુવિધા નો લાભ મળ્યો નથી

મહેસાણા-અમદાવાદ વચ્ચે ડબદલીંગ લાઇનના કામે બંધ કરાયેલ

મહેસાણા રેલ્વે સ્ટેશન અને મહેસાણા-જગુદણ વચ્ચે બીજી લાઇનના ચાલતા કામોને કારણે પાટણ સ્ટેશનથી ઉપડતી આવતી બંધ કરાયેલ ટ્રેનોને ફરી શરૂ કરવામાં આવી છે. અગાઉ પાટણ-સાબરમતી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન પણ બે સમય આવજા કરતી શરૂ કરાયા બાદ વધુ ૬ લોકલ ટ્રેનો શરૂ કરાતાં મુસાફરોને રાહત થઇ છે. ખાસ કરીને અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકી પડતી હતી. આમ પાટણ-મહેસાણા-સાબરમતી અને પાટણથી વીરમગામની લોકલ ટ્રેનો ફરી શરૂ કરાતા આમપ્રજાને સસ્તી મુસાફરીનો લાભ મળશે.

પાટણ-ભિલડી-મહેસાણા વચ્ચે સત્વરે લોકલ ટ્રેન વ્યવહાર શરૂ કરવો જોઇએ

બીજીતરફ પાટણથી ભિલડી વચ્ચેની બ્રોડગેજ લાઇન નંખાયાને ૪ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે. છતાં આ બંને સ્ટેશનો વચ્ચે હજી એક પણ લોકલ ટ્રેન શરૂ નહીં કરાતા વચ્ચે આવતા ખલીપુર, કાંસા, વાયડ, શિહોરી, મુડેઠા જેવા સ્ટેશનો અને વિસ્તારની પ્રજાને રેલ સુવિધાઓને લાભ હજી મળ્યો નથી.

Related posts

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમા આજથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અમલી

museb

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ તરીકે ભાર્ગવ વી. ચોક્સી અને મંત્રી તરીકે અલ્પેશ એમ. પટેલની નિમણુંક

mahagujarat

ભારત વિકાસ પરિષદ-પાટણ ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ

mahagujarat

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

mahagujarat

પાટણમાં શહીદ દિન નિમિતે ‘શૌર્ય સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરાયું

mahagujarat

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ

mahagujarat

Leave a Comment