January 18, 2025
Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરમતરાજકીય

માઁનો પરિવાર દ્વારા યોજાયેલ નાટક “આજ જાને કી જીદ ના કરોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

તારીખ 13 એપ્રિલ, 2024ને શનિવારની રમણીય રાત્રિએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચિક્કાર મેદાનીથી ભરાયેલા ક્ધવેશન હૉલમાં સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું નામ ધરાવતી સંસ્થા “માઁનો પરિવાર દ્વારા અત્યંત સંવેદનશીલ કથાવસ્તુ ધરાવતું જાણીતા નાટ્ય લેખક તથા દિગ્દર્શક સૌમ્ય જોશીનું અફલાતૂન નાટક “આજ જાને કી જીદ ના કરોની અદ્ભૂત રજૂઆત થઇ. મુંબઇની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં એક પોલીસ ઓફિસર અને એક ધંધાદારી બાઇ અર્થાત્ ગણિકા વચ્ચે વાતચીત થતાં-થતાંમાં અચાનક અકલ્પનીય પ્રેમ પાંગરે છે. રેલગાડીના ડબ્બામાં જીજ્ઞા વ્યાસ અને મુકેશ રાવનો ધારદાર અભિનય અને ચોટદાર સંવાદો આખાય નાટકને જાનદાર બનાવે છે. ખરેખર તો મરાઠી નાટક ‘પ્રપોઝલ’ પરથી સૌમ્ય જોશીએ પોતાની સશક્ત કલમ દ્વારા આ નાટક માટે ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું જેના માટે એમને સો-સો સલામ ભરવી પડે. કારણ કે સામાન્ય રીતે આવા અસામાન્ય વિષયને સ્પર્શ કરવો અને પાછું ગુજરાતી પ્રેક્ષકોને આ નાટક ગમાડવું એ સાધારણ ઘટના નથી. ‘વૅલકમ જિંદગી’, ‘102 નૉટ આઉટ’, ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ’ અને ખૂબ જ વખણાયેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના દિગ્દર્શક સૌમ્ય જોશીની હિંમતને પણ દાદ દેવી પડે. અલબત્ત નાટકના બન્ને કલાકારોના અભિનય-કૌશલ્ય ભૂલ્યા ભૂલાય તેમ નથી.

Related posts

આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ

museb

ઉત્તર ગુજરાત કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી અને બેંક ફેડરેશન દ્વારા મહેસાણા ખાતે લીગલ અને ટેક્સેશન સેમિનાર યોજાયો.

mahagujarat

પાટણમાં શહીદ દિન નિમિતે ‘શૌર્ય સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરાયું

mahagujarat

પાટણના અગાશીયા વીરદાદા મંદિરનાો પાટોત્સવ યોજાયો…

mahagujarat

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

પુસ્તકો પાસેથી સકારાત્મક અભિગમ મેળવીને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

mahagujarat

Leave a Comment