February 11, 2026
Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરમતરાજકીય

માઁનો પરિવાર દ્વારા યોજાયેલ નાટક “આજ જાને કી જીદ ના કરોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

તારીખ 13 એપ્રિલ, 2024ને શનિવારની રમણીય રાત્રિએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચિક્કાર મેદાનીથી ભરાયેલા ક્ધવેશન હૉલમાં સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું નામ ધરાવતી સંસ્થા “માઁનો પરિવાર દ્વારા અત્યંત સંવેદનશીલ કથાવસ્તુ ધરાવતું જાણીતા નાટ્ય લેખક તથા દિગ્દર્શક સૌમ્ય જોશીનું અફલાતૂન નાટક “આજ જાને કી જીદ ના કરોની અદ્ભૂત રજૂઆત થઇ. મુંબઇની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં એક પોલીસ ઓફિસર અને એક ધંધાદારી બાઇ અર્થાત્ ગણિકા વચ્ચે વાતચીત થતાં-થતાંમાં અચાનક અકલ્પનીય પ્રેમ પાંગરે છે. રેલગાડીના ડબ્બામાં જીજ્ઞા વ્યાસ અને મુકેશ રાવનો ધારદાર અભિનય અને ચોટદાર સંવાદો આખાય નાટકને જાનદાર બનાવે છે. ખરેખર તો મરાઠી નાટક ‘પ્રપોઝલ’ પરથી સૌમ્ય જોશીએ પોતાની સશક્ત કલમ દ્વારા આ નાટક માટે ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું જેના માટે એમને સો-સો સલામ ભરવી પડે. કારણ કે સામાન્ય રીતે આવા અસામાન્ય વિષયને સ્પર્શ કરવો અને પાછું ગુજરાતી પ્રેક્ષકોને આ નાટક ગમાડવું એ સાધારણ ઘટના નથી. ‘વૅલકમ જિંદગી’, ‘102 નૉટ આઉટ’, ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ’ અને ખૂબ જ વખણાયેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના દિગ્દર્શક સૌમ્ય જોશીની હિંમતને પણ દાદ દેવી પડે. અલબત્ત નાટકના બન્ને કલાકારોના અભિનય-કૌશલ્ય ભૂલ્યા ભૂલાય તેમ નથી.

Related posts

અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમી હાઈવેને રૂ. 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય બનાવાશે, કેબિનેટ બેઠકમાં મંજૂરી

mahagujarat

આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે

museb

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ

museb

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી

mahagujarat

પાટણ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણી છોડવા કે. સી. પટેલની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

museb

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES)ને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ISO 21001:2018 પ્રમાણપત્ર મળ્યું

mahagujarat

Leave a Comment