Maha Gujarat
MehsanaOtherPatanજગ્યાજિલ્લોરમતરાજકીય

માઁનો પરિવાર દ્વારા યોજાયેલ નાટક “આજ જાને કી જીદ ના કરોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો

તારીખ 13 એપ્રિલ, 2024ને શનિવારની રમણીય રાત્રિએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચિક્કાર મેદાનીથી ભરાયેલા ક્ધવેશન હૉલમાં સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું નામ ધરાવતી સંસ્થા “માઁનો પરિવાર દ્વારા અત્યંત સંવેદનશીલ કથાવસ્તુ ધરાવતું જાણીતા નાટ્ય લેખક તથા દિગ્દર્શક સૌમ્ય જોશીનું અફલાતૂન નાટક “આજ જાને કી જીદ ના કરોની અદ્ભૂત રજૂઆત થઇ. મુંબઇની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં એક પોલીસ ઓફિસર અને એક ધંધાદારી બાઇ અર્થાત્ ગણિકા વચ્ચે વાતચીત થતાં-થતાંમાં અચાનક અકલ્પનીય પ્રેમ પાંગરે છે. રેલગાડીના ડબ્બામાં જીજ્ઞા વ્યાસ અને મુકેશ રાવનો ધારદાર અભિનય અને ચોટદાર સંવાદો આખાય નાટકને જાનદાર બનાવે છે. ખરેખર તો મરાઠી નાટક ‘પ્રપોઝલ’ પરથી સૌમ્ય જોશીએ પોતાની સશક્ત કલમ દ્વારા આ નાટક માટે ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું જેના માટે એમને સો-સો સલામ ભરવી પડે. કારણ કે સામાન્ય રીતે આવા અસામાન્ય વિષયને સ્પર્શ કરવો અને પાછું ગુજરાતી પ્રેક્ષકોને આ નાટક ગમાડવું એ સાધારણ ઘટના નથી. ‘વૅલકમ જિંદગી’, ‘102 નૉટ આઉટ’, ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ’ અને ખૂબ જ વખણાયેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના દિગ્દર્શક સૌમ્ય જોશીની હિંમતને પણ દાદ દેવી પડે. અલબત્ત નાટકના બન્ને કલાકારોના અભિનય-કૌશલ્ય ભૂલ્યા ભૂલાય તેમ નથી.

Related posts

પાટણનાં જૈન જ્ઞાનમંદિર ખાતે જ્ઞાન સેમિનાર યોજાયો

museb

“સ્વસ્થ મન, ઉજ્જવળ ભવિષ્ય” — બીઆઈપીએસમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સેમિનાર

mahagujarat

પાટણની યમુનાવાડીનો દશાબ્દિ મહોત્સવ યોજાયો

museb

હેરિટેજ કરાઓકે ગ્રુપ ઓફ પાટણ દ્વારા સંગીત સે સેવાનું આયોજન કરાયું

mahagujarat

લણવા જવાહર નવોદય વિધાલયનું બિલ્ડીંગ ભયજન

mahagujarat

પાટણનાં મંચ પરથી પ્રથમવાર જ ‘બેઠક’માં ‘યમન, બાગેશ્ર્વરી, મેઘ, ગુર્જર તોડી’ રાગો ગુંજ્યા

mahagujarat

Leave a Comment