Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજ્ય

પાટણના અગાશીયા વીરદાદા મંદિરનાો પાટોત્સવ યોજાયો…

સત્સંગ હૉલ-ઓફિસ પરિસર, નવસર્જન કાર્યોનું ઉદ્ઘાટન


પાટણના મીરા દરવાજા-પદ્મનાભ રોડ ઉપર આવેલ અગાશીયા વીરદાદા મંદિરનો પાટોત્સવ ગઇકાલે યોજાયો હતો. સાથે આ મંદિર સંકુલમાં દાતા ત્રિભોવનભાઇ ધનજીભાઇ પટેલ મૂ. રહે. અઘાર, હાલ – વડોદરાના મુખ્યદાનથી બનાવવામાં આવેલ સત્સંગ હૉલ-ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન સાથે વાસ્તૂપૂજન અને નવચંડીયજ્ઞ પણ યોજવામાં આવેલ.


પાટણ અગાશીયા વીર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નવીન બનેલ ‘સત્સંગ હૉલ’નું ઉદ્ઘાટન પૂ.શ્રી વસંતગીરી બાપુના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન તરીકે હરેશભાઇ વીરચંદભાઇ જોષી પરિવાર હતા. સાંજે યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ ભોજન સમારંભ રખાયેલ. યજ્ઞવિધી પાટણના વિદ્વાન શાસ્ત્રી દિલીપભાઇ આચાર્ય તથા સાથી ભૂદેવોએ કરાવેલ.
અગાશીયાવીર દેવસ્થાનના ટ્રસ્ટીઓ ડૉ. નિખીલ ખમાર, કિરીટભાઇ ખમાર, હિતેશ ખત્રી, રોનકભાઇ જોષી, બાબુભાઇ પટેલ, પૂજારી દશરથભાઇ વિગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


આ મંદિર સંકુલનું નવ સાધ્યકરણ કરવામાં આવી રહ્યું છે. તેનો પ્રારંભ સાવ સામાન્ય વ્યક્તિ એવા શ્રી ચંદ્રવદન પરીખે રૂા. ૧ લાખનું માતબર દાન કર્યું હતું, આ પછી સતત દાનનો પ્રવાહ વહી રહ્યો છે. સંકુલના બાંધકામ માટે એન્જિનિયર ભરતભાઇ પટેલ નિ:શુલ્ક સેવાઓ આપી રહ્યા છે. ખૂબ જ સુંદર ભવ્ય સત્સંત હૉલનું નિર્માણ થયું છે.

(અહેવાલ : હર્ષદ ખમાર)

Related posts

પાટણમાં તુલસી વિવાહ – દેવ દિવાળીનો ઉત્સવ ભવ્ય શ્રદ્ધાથી ઉજવાયો

museb

પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.

mahagujarat

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

mahagujarat

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

mahagujarat

ચતુરભાઈ હીરાભાઈ પટેલ (દેહદાતા) ની પ્રાર્થના સભા યોજાઇ

mahagujarat

શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ડી.જે. પટેલ પુનઃ વરણી..

mahagujarat

Leave a Comment