Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરાજ્ય

પાટણના અગાશીયા વીરદાદા મંદિરનાો પાટોત્સવ યોજાયો…

સત્સંગ હૉલ-ઓફિસ પરિસર, નવસર્જન કાર્યોનું ઉદ્ઘાટન


પાટણના મીરા દરવાજા-પદ્મનાભ રોડ ઉપર આવેલ અગાશીયા વીરદાદા મંદિરનો પાટોત્સવ ગઇકાલે યોજાયો હતો. સાથે આ મંદિર સંકુલમાં દાતા ત્રિભોવનભાઇ ધનજીભાઇ પટેલ મૂ. રહે. અઘાર, હાલ – વડોદરાના મુખ્યદાનથી બનાવવામાં આવેલ સત્સંગ હૉલ-ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન સાથે વાસ્તૂપૂજન અને નવચંડીયજ્ઞ પણ યોજવામાં આવેલ.


પાટણ અગાશીયા વીર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ નવીન બનેલ ‘સત્સંગ હૉલ’નું ઉદ્ઘાટન પૂ.શ્રી વસંતગીરી બાપુના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન તરીકે હરેશભાઇ વીરચંદભાઇ જોષી પરિવાર હતા. સાંજે યજ્ઞની પૂર્ણાહૂતિ બાદ ભોજન સમારંભ રખાયેલ. યજ્ઞવિધી પાટણના વિદ્વાન શાસ્ત્રી દિલીપભાઇ આચાર્ય તથા સાથી ભૂદેવોએ કરાવેલ.
અગાશીયાવીર દેવસ્થાનના ટ્રસ્ટીઓ ડૉ. નિખીલ ખમાર, કિરીટભાઇ ખમાર, હિતેશ ખત્રી, રોનકભાઇ જોષી, બાબુભાઇ પટેલ, પૂજારી દશરથભાઇ વિગેરેએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


આ મંદિર સંકુલનું નવ સાધ્યકરણ કરવામાં આવી રહ્યું છે. તેનો પ્રારંભ સાવ સામાન્ય વ્યક્તિ એવા શ્રી ચંદ્રવદન પરીખે રૂા. ૧ લાખનું માતબર દાન કર્યું હતું, આ પછી સતત દાનનો પ્રવાહ વહી રહ્યો છે. સંકુલના બાંધકામ માટે એન્જિનિયર ભરતભાઇ પટેલ નિ:શુલ્ક સેવાઓ આપી રહ્યા છે. ખૂબ જ સુંદર ભવ્ય સત્સંત હૉલનું નિર્માણ થયું છે.

(અહેવાલ : હર્ષદ ખમાર)

Related posts

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 નો પાટણ તાલુકા નો યુવા સંવાદ નો કાર્યક્રમ રાજપુર ITI ખાતે યોજાયો…..

museb

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા: આત્મવિશ્વાસ સાથે સફળતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું..

mahagujarat

પાટણની નૂતન વિનય મંદિર શાળામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ : સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ, શૈક્ષણિક કીટ વિતરણ અને ખેલ પ્રતિભાઓનું સન્માન

mahagujarat

પાટણ રેલવે સ્ટેશન પર નવી ટ્રેન સુવિધા : ચેન્નઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી વચ્ચેની સુપરફાસ્ટ ટ્રેનને મળ્યું સ્ટોપેજ

mahagujarat

પાટણના ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા તૈયાર કરાયેલ પાણીની પરબનું લોકાર્પણ કરાયું

mahagujarat

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

Leave a Comment