Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

પાટણ શહેરની દ્વારકાધિશની હવેલી મંદિર ખાતે ૨વિવારે પ.પૂ.ગો. શ્રી વ્રજેશ બાવા ને વૈષ્ણવ પરિવારો દ્વારા ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

વૈષ્ણવ હૃદય સમ્રાટ અનંત વિભૂષિત બ્રહમર્ષિં પ.પૂ. ગોસ્વામી ૧૦૮ વ્રજેશકુમા૨જી મહારાજ (કાંકરોલી નરેશ) તાજેતરમાં નિત્ય લીલા પ્રવેશ કરી ગયા છે. તેનાં સંદર્ભમાં વૈષ્ણવો પોતાનાં હૃદયનો ભાવ પ્રગટ કરી શકે તે માટે પાટણના દ્વારકાધિશ મંદિરમાં ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.

આ પ્રસંગે શ્રી દિલીપભાઇ શાસ્ત્રીજી સહિત, મંદિરના ટ્રસ્ટીઓ, વૈષ્ણવ પરિવારજનોએ પૂ. બાવાજીનાં સન્માનમાં ગુણાનુવાદ કરીને તેમને શબ્દાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહયા હતા. જ્યારે રામજી મંદિર હોલમાં બાલકૃષ્ણલાલજી મંદિર દ્વારા પણ ભાવ વંદના યોજવામાં આવી હતી. નિમિષાબેન પરીખ, મંજૂબેન સાલવી, કિરીટભાઇ ખમારે ભાવવંદના કરી હતી.

Related posts

તૃતીય પીઠાધીશ પદે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું વિધિવત કાંકરોલી ખાતે ગાદીતિલક થયું

museb

પાટણના અગાશીયા વીરદાદા મંદિરનાો પાટોત્સવ યોજાયો…

mahagujarat

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

mahagujarat

પાટણ જૈન મંડળ, મુંબઈના અગ્રણીઓની પાટણ વિકાસ પરિષદે શુભેચ્છા મુલાકાત લીધી

museb

પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી કરાઇ

museb

Leave a Comment