February 15, 2026
Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

પાટણ શહેરની દ્વારકાધિશની હવેલી મંદિર ખાતે ૨વિવારે પ.પૂ.ગો. શ્રી વ્રજેશ બાવા ને વૈષ્ણવ પરિવારો દ્વારા ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

વૈષ્ણવ હૃદય સમ્રાટ અનંત વિભૂષિત બ્રહમર્ષિં પ.પૂ. ગોસ્વામી ૧૦૮ વ્રજેશકુમા૨જી મહારાજ (કાંકરોલી નરેશ) તાજેતરમાં નિત્ય લીલા પ્રવેશ કરી ગયા છે. તેનાં સંદર્ભમાં વૈષ્ણવો પોતાનાં હૃદયનો ભાવ પ્રગટ કરી શકે તે માટે પાટણના દ્વારકાધિશ મંદિરમાં ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.

આ પ્રસંગે શ્રી દિલીપભાઇ શાસ્ત્રીજી સહિત, મંદિરના ટ્રસ્ટીઓ, વૈષ્ણવ પરિવારજનોએ પૂ. બાવાજીનાં સન્માનમાં ગુણાનુવાદ કરીને તેમને શબ્દાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહયા હતા. જ્યારે રામજી મંદિર હોલમાં બાલકૃષ્ણલાલજી મંદિર દ્વારા પણ ભાવ વંદના યોજવામાં આવી હતી. નિમિષાબેન પરીખ, મંજૂબેન સાલવી, કિરીટભાઇ ખમારે ભાવવંદના કરી હતી.

Related posts

પાટણનાં પટોળાએ હવે માત્ર કલા જ નહિં પણ વ્યાવસાયિક સ્વરૂપ ધારણ ર્ક્યુ છે

mahagujarat

પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનસિંહ ઠાકોર સહિત ૨૬ કાર્યકરોને મૂક્તિ અપાઇ

museb

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

પાટણ જૈન મંડળ, મુંબઈના અગ્રણીઓની પાટણ વિકાસ પરિષદે શુભેચ્છા મુલાકાત લીધી

museb

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા

mahagujarat

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન-જનજાગરણ કાર્યક્રમ યોજાયો

museb

Leave a Comment