Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

મામા-મામી સહિત કુલ 6ના મોત થયા

પાટણના બળીયાપાડામાં રહેતા હર્ષદભાઇ જીવાભાઇ પટેલના લગ્ન સુરતના માંડવી ખાતે થયા હતા. હર્ષદભાઇ તેમની પત્ની બે પુત્રીઓ અને પુત્ર સાથે તેમના સાસરે ગયા હતા. તેમના ત્રણ સંતાનોમાં દિકરી મેઘાબેન હર્ષદભાઇ પટેલ (ઉ.વ. 22), તમન્ના હર્ષદભાઇ (ઉ.વ. 16) અને પુત્ર અક્ષિત હર્ષદભાઇ (ઉ.વ. 12) તેમના માંડવી ખાતે રહેતા તેમના મામા મહેશભાઇ રાઠોડ, મામી અને મામાની દિકરી, દિકરા સાથે લગ્ન પ્રસંગે મામાની ગાડીમાં સુરત માંડવીથી બારડોલી તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની ગાડી સાથે બામરોલી પાસે તેમની કારને ડમ્પરે ટક્કર મારતાં તેમની કારનો ભુક્કો બોલી ગયો હતો. આ ભયંકર અકસ્માતમાં કારમાં બેઠેલા મામા-મામી મામાની દિકરી તેમજ પાટણના આ ત્રણે ભાઇ બહેનો સહિત કુલ 6 જણાના કરૂણ મોત થયા હતા.

પાટણના હર્ષદભાઇ જીવાભાઇ પટેલ પરિવાર ઉપર દુ:ખનો પહાડ તુટી પડ્યો


કાળજુ કંપાવી નાખે તેવા આ ગોજારા અકસ્માતમાં મોતને ભેટેલા પાટણના ત્રણેય પાટણના ભાઇ-બહેનોના અર્થી શનિવારે રાત્રે પાટણ લવાયા હતા. રવિવારે સવારે ત્રણેય ભાઇ-બહેનોની અંતિમયાત્રા નિકળી ત્યારે પાટણનાં લેઉઆ પાટીદાર સમાજ સહિત અનેકો જોડાયા હતા. અશ્રુભીની આંખે ત્રણેય ભાઇ-બહેનોની એક સાથે અંતિમવિધિ કરાઇ હતી.
આ કરૂણ ઘટનાથી સમગ્ર પાટણ શહેરમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. પાટણના લેઉઆ પાટીદાર સમાજના હજી બે મહિના પહેલા એક સાથે પરણીત બે યુવાન સગા ભાઇઓના અચાનક મોત થયા હતાં. તેની શાહી હજી સૂકાઇ નથી ને આ ત્રણ સગા ભાઇ-બહેનના કરૂણ આઘાતજનક મોતથી લેઉઆ પાટીદાર સમાજે ભારે આંચકો અનુભવ્યો છે.


પાટણના હર્ષદભાઇ જીવાભાઇ પટેલ પરિવાર ઉપર તૂટી પડેલ આ દુ:ખના પહાડથી પાટણ શહેરના અગ્રણીઓ સહિત લોકો અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવી રહ્યા છે, અને દુ:ખના સંદેશા વહેતા થયા છે. આ મૃતઆત્માઓની શાંતિ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

Related posts

આજે ચૈત્રી પૂર્ણિમા હનુમાન જયંતી.ના દિને યશવિલા સોસાયટીમાં હનુમાન ચાલીસા ના પાઠ અને ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

mahagujarat

શ્રી પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે ડી.જે. પટેલ પુનઃ વરણી..

mahagujarat

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ

museb

પુસ્તકો પાસેથી સકારાત્મક અભિગમ મેળવીને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

mahagujarat

શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.

mahagujarat

ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા સંસ્થાના 62મા સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

museb

Leave a Comment