Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

મામા-મામી સહિત કુલ 6ના મોત થયા

પાટણના બળીયાપાડામાં રહેતા હર્ષદભાઇ જીવાભાઇ પટેલના લગ્ન સુરતના માંડવી ખાતે થયા હતા. હર્ષદભાઇ તેમની પત્ની બે પુત્રીઓ અને પુત્ર સાથે તેમના સાસરે ગયા હતા. તેમના ત્રણ સંતાનોમાં દિકરી મેઘાબેન હર્ષદભાઇ પટેલ (ઉ.વ. 22), તમન્ના હર્ષદભાઇ (ઉ.વ. 16) અને પુત્ર અક્ષિત હર્ષદભાઇ (ઉ.વ. 12) તેમના માંડવી ખાતે રહેતા તેમના મામા મહેશભાઇ રાઠોડ, મામી અને મામાની દિકરી, દિકરા સાથે લગ્ન પ્રસંગે મામાની ગાડીમાં સુરત માંડવીથી બારડોલી તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની ગાડી સાથે બામરોલી પાસે તેમની કારને ડમ્પરે ટક્કર મારતાં તેમની કારનો ભુક્કો બોલી ગયો હતો. આ ભયંકર અકસ્માતમાં કારમાં બેઠેલા મામા-મામી મામાની દિકરી તેમજ પાટણના આ ત્રણે ભાઇ બહેનો સહિત કુલ 6 જણાના કરૂણ મોત થયા હતા.

પાટણના હર્ષદભાઇ જીવાભાઇ પટેલ પરિવાર ઉપર દુ:ખનો પહાડ તુટી પડ્યો


કાળજુ કંપાવી નાખે તેવા આ ગોજારા અકસ્માતમાં મોતને ભેટેલા પાટણના ત્રણેય પાટણના ભાઇ-બહેનોના અર્થી શનિવારે રાત્રે પાટણ લવાયા હતા. રવિવારે સવારે ત્રણેય ભાઇ-બહેનોની અંતિમયાત્રા નિકળી ત્યારે પાટણનાં લેઉઆ પાટીદાર સમાજ સહિત અનેકો જોડાયા હતા. અશ્રુભીની આંખે ત્રણેય ભાઇ-બહેનોની એક સાથે અંતિમવિધિ કરાઇ હતી.
આ કરૂણ ઘટનાથી સમગ્ર પાટણ શહેરમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. પાટણના લેઉઆ પાટીદાર સમાજના હજી બે મહિના પહેલા એક સાથે પરણીત બે યુવાન સગા ભાઇઓના અચાનક મોત થયા હતાં. તેની શાહી હજી સૂકાઇ નથી ને આ ત્રણ સગા ભાઇ-બહેનના કરૂણ આઘાતજનક મોતથી લેઉઆ પાટીદાર સમાજે ભારે આંચકો અનુભવ્યો છે.


પાટણના હર્ષદભાઇ જીવાભાઇ પટેલ પરિવાર ઉપર તૂટી પડેલ આ દુ:ખના પહાડથી પાટણ શહેરના અગ્રણીઓ સહિત લોકો અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવી રહ્યા છે, અને દુ:ખના સંદેશા વહેતા થયા છે. આ મૃતઆત્માઓની શાંતિ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

Related posts

પાટણની નર્તન નૃત્ય ક્લા સંસ્થા દ્વારા ચિ. અવની, ચિ. ધ્યાની અને ચિ. ખુશી ભરત નાટ્યમ્ આરંગત્રમ્ની પ્રસ્તુતિ હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કરાશે

museb

પાટણનાં પટોળાએ હવે માત્ર કલા જ નહિં પણ વ્યાવસાયિક સ્વરૂપ ધારણ ર્ક્યુ છે

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમી હાઈવેને રૂ. 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય બનાવાશે, કેબિનેટ બેઠકમાં મંજૂરી

mahagujarat

શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલયની શેઠ શ્રી તનીલભાઈ રામદાસ કીલાચંદે શુભેચ્છા મુલાકાત લીધી

mahagujarat

પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.

mahagujarat

Leave a Comment