Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજ્યરાષ્ટ્રીય

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

મામા-મામી સહિત કુલ 6ના મોત થયા

પાટણના બળીયાપાડામાં રહેતા હર્ષદભાઇ જીવાભાઇ પટેલના લગ્ન સુરતના માંડવી ખાતે થયા હતા. હર્ષદભાઇ તેમની પત્ની બે પુત્રીઓ અને પુત્ર સાથે તેમના સાસરે ગયા હતા. તેમના ત્રણ સંતાનોમાં દિકરી મેઘાબેન હર્ષદભાઇ પટેલ (ઉ.વ. 22), તમન્ના હર્ષદભાઇ (ઉ.વ. 16) અને પુત્ર અક્ષિત હર્ષદભાઇ (ઉ.વ. 12) તેમના માંડવી ખાતે રહેતા તેમના મામા મહેશભાઇ રાઠોડ, મામી અને મામાની દિકરી, દિકરા સાથે લગ્ન પ્રસંગે મામાની ગાડીમાં સુરત માંડવીથી બારડોલી તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની ગાડી સાથે બામરોલી પાસે તેમની કારને ડમ્પરે ટક્કર મારતાં તેમની કારનો ભુક્કો બોલી ગયો હતો. આ ભયંકર અકસ્માતમાં કારમાં બેઠેલા મામા-મામી મામાની દિકરી તેમજ પાટણના આ ત્રણે ભાઇ બહેનો સહિત કુલ 6 જણાના કરૂણ મોત થયા હતા.

પાટણના હર્ષદભાઇ જીવાભાઇ પટેલ પરિવાર ઉપર દુ:ખનો પહાડ તુટી પડ્યો


કાળજુ કંપાવી નાખે તેવા આ ગોજારા અકસ્માતમાં મોતને ભેટેલા પાટણના ત્રણેય પાટણના ભાઇ-બહેનોના અર્થી શનિવારે રાત્રે પાટણ લવાયા હતા. રવિવારે સવારે ત્રણેય ભાઇ-બહેનોની અંતિમયાત્રા નિકળી ત્યારે પાટણનાં લેઉઆ પાટીદાર સમાજ સહિત અનેકો જોડાયા હતા. અશ્રુભીની આંખે ત્રણેય ભાઇ-બહેનોની એક સાથે અંતિમવિધિ કરાઇ હતી.
આ કરૂણ ઘટનાથી સમગ્ર પાટણ શહેરમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. પાટણના લેઉઆ પાટીદાર સમાજના હજી બે મહિના પહેલા એક સાથે પરણીત બે યુવાન સગા ભાઇઓના અચાનક મોત થયા હતાં. તેની શાહી હજી સૂકાઇ નથી ને આ ત્રણ સગા ભાઇ-બહેનના કરૂણ આઘાતજનક મોતથી લેઉઆ પાટીદાર સમાજે ભારે આંચકો અનુભવ્યો છે.


પાટણના હર્ષદભાઇ જીવાભાઇ પટેલ પરિવાર ઉપર તૂટી પડેલ આ દુ:ખના પહાડથી પાટણ શહેરના અગ્રણીઓ સહિત લોકો અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવી રહ્યા છે, અને દુ:ખના સંદેશા વહેતા થયા છે. આ મૃતઆત્માઓની શાંતિ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

Related posts

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

museb

“PACS અને CSC ના જોડાવાથી, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા અને ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન મોદીના બે સંકલ્પો એકસાથે પૂર્ણ થઈ રહ્યા છે:” કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Admin

સેવા એ જ સંકલ્પના સિદ્ધાંતને સાર્થક કરતું ક્રિષ્ના ગ્રુપ તલાટીની પરીક્ષા આપવા પાટણ આવેલાને રહેવા-જમવા અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા

mahagujarat

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 નો પાટણ તાલુકા નો યુવા સંવાદ નો કાર્યક્રમ રાજપુર ITI ખાતે યોજાયો…..

museb

Leave a Comment