Maha Gujarat
IndiaMehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

અમૃત ભારત યોજના હેઠળ પાટણ રેલ્વે સ્ટેશનનું આધુનિકરણ કરાશે

­


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૬ ઓગસ્ટે વચ્યુઅલી કામનો પ્રારંભ કરાવશે

વર્લ્ડ હેરીટેઝ રાણકીવાવના કારણે પ્રખ્યાત થયેલ ઐતિહાસિક પાટણ નગરીના રેલ્વે સ્ટેશનનો ‘અમૃત ભારત યોજના’ નીચે સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજના નીચે આધુનિકરણ થનાર પાટણ રેલ્વે સ્ટેશનના કામનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી ૬ઠ્ઠી ઓગષ્ટ રવિવારે સવારે ૧૦-૦૦ વાગે રાજસ્થાનથી વચ્યુઅલી પ્રારંભ કરાવશે.


પાટણ સહિત ભારતના ૧૨૨૨ રેલ્વે સ્ટેશનોનું અમૃત ભારત યોજના નીચે આધુનિકરણ થનાર છે. પાટણ સહિત આ જિલ્લાના મહેસાણા અને સિધ્ધપુર સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. વર્લ્ડ હેરીટેઝ રાણકીવાવ અને વર્લ્ડ ફેમસ પટોળાની થીમ ઉપર પાટણનું રેલ્વે સ્ટેશનનું મુખ્ય બિલ્ડીંગ બનશે. પહેલાથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા વધારાનો ફુટ ઓવરબ્રીજ, પ્લેટ ફોર્મ ઉપરના સેડ, ટોયલેટ, બેઠક વ્યવસ્થા સહિત પાર્કીંગ સુવિધા, સુંદર ગાર્ડનનું નિર્માણ કરી પાટણ સ્ટેશનને સુંદર ઓપ અપાશે.


આગામી ૬ તારીખે યોજાનાર કાર્યક્રમની તૈયાર માટે આજે રેલ્વેના એ.ડી.આર.એમ. શ્રી દયાનંદ સાહુ ઉચ્ચ અધિકારીઓ સાથે પાટણ આવ્યા હતા.


પાટણ વિકાસ પરિષદના હોદ્દેદારો દેવજીભાઇ પરમાર, હર્ષદભાઇ ખમાર, યતિનભાઇ ગાંધી, મહાસુખભાઇ મોદી, દિલીપભાઇ સુખડીયા સહિત વેપારી કેશવલાલ ઠક્કરે તેમની શુભેચ્છા મુલાકાત લઇ તેમનું સ્વાગત કરી નવીન બનનાર સ્ટેશનની જાણકારી મેળવી હતી. પાટણ રેલ્વે સ્ટેશન ઉપર આગામી ૬ ઓગસ્ટે ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે.

Related posts

ધ્વનિ સંગીત પરિવાર દ્વારા કૃષ્ણભક્તિમાં રસ તરબોળ કરી દેતો ‘શ્રીકૃષ્ણ: શરણં મમ્’ કાર્યક્રમ યોજાયો

museb

પાટણની કે.કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

museb

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

સમી ખાતે નારી સંમેલન યોજાયું: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે નારી સશક્તિકરણના મહત્વ પર માર્ગદર્શન આપ્યું

mahagujarat

પાટણના સ્થાપનાદિન નિમિત્તે નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પરિસર ૧૨૮૧ ઘીના દીવાથી ઝગમગી ઉઠ્યું

mahagujarat

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓ ઇકો બ્રિક્સ કાર્યક્રમ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત પાટણ” અભિયાનમાં જોડાયા

museb

Leave a Comment